VIDEO: પંજોખરા સાહિબ વિવાદ, અંબાલા-દિલ્હી હાઇવે પર પ્રદર્શનકારીઓનું ચક્કાજામ
સોર્સ : gstv
હરિયાણાના અંબાલામાં પંજોખરા સાહિબ વિવાદને લઈને સીખ સમુદાયના લોકોએ અંબાલા-દિલ્હી હાઇવે બ્લોક કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકો દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હાઇવે પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. હરિયાણા સીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ જગદીશ સિંહ ઝિંડાએ પણ વિરોધમાં હાજરી આપી હતી. સીખ સમુદાયે વિવાદ મામલે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.

