Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pakistani army violates ceasefire on LoC in Poonch of Jammu Kashmir

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં LoC પર પાકિસ્તાની સેનાએ કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2025
લાઇવ ટીવીGoogle News
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં LoC પર પાકિસ્તાની સેનાએ કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યો. પાકિસ્તાની સેના અને ઘૂસણખોરો વચ્ચે ગોળીબાર થયો, જેના પગલે ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો.

App Store

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાના ચારથી પાંચ ઘુસણખોરો માર્યા ગયા છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ગોળીબાર વચ્ચે-વચ્ચે ચાલુ છે અને ભારતીય સેના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં સંપૂર્ણપણે તૈનાત છે.

કઠુઆમાં ફરી એક એન્કાઉન્ટર

આ પહેલા સોમવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી એકવાર એન્કાઉન્ટર થયું હતું જ્યારે પોલીસ ટીમ પર સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, રામકોટ પટ્ટાના પંજતીર્થી વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે, જ્યાં ત્રણ આતંકવાદીઓ ફસાયેલા હોવાનું કહેવાય છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી અહેવાલ આપ્યો છે કે હિંસક એન્કાઉન્ટર પછી જંગલમાં ફસાયેલા ત્રણ આતંકવાદીઓને ભાગી ન જવા દેવા માટે રાત્રે ઘેરાબંધી કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ હવાઈ દેખરેખ અને સ્નિફર ડોગ્સની મદદથી ત્રણેયની શોધખોળ તેજ કરી દીધી છે. શોધ વિસ્તારમાં રાજબાગ વિસ્તારમાં રુઈ, જુથાના, ઘાટી અને સાન્યાલના જંગલ વિસ્તારો અને બિલ્લાવરના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. રવિવારે રાત્રે કાળા પોશાક પહેરેલા અને બેગ લઈને આવેલા ત્રણ માણસો રુઈ ગામમાં શંકરના ઘરમાં ઘૂસી ગયા અને એકલી વૃદ્ધ મહિલા પાસે પાણી માંગ્યું હતું.