Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pahalgam Terrorist Attack: Tributes paid to the dead of Pahalgam attack before prayers, Owaisi seen selling black bands to Muslims

Pahalgam Terrorist Attack: નમાજ પહેલા પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી, મુસ્લિમોને કાળી પટ્ટી આપતા ઓવૈસી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Pahalgam Terrorist Attack: નમાજ પહેલા પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી, મુસ્લિમોને કાળી પટ્ટી આપતા ઓવૈસી દેખાયા

Pahalgam Terrorist Attack: ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં આવેલા પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સો અને આક્રોશ છે. લોકો માર્ગો પર ઉતરી આવી વિરોધ કરી રહ્યા  છે. શહેરોમાં બજાર બંધ કરી વિરોધ દર્શાવી રહ્યા છે. આ દરમ્યાન ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશનના પ્રમુખે શુક્રવારની  જુમાની નમાજમાં આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી.આ સિવાય એઆઈમીમના વડા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને કાળી પટ્ટી બાંધીને જુમાની નમાજ અદા કરવાની અપીલ કરી છે.

App Store

સુરક્ષાને લઈ અમે સરકાર સાથે છીએ: ઓવૈસી
ઓવૈસીએ કહ્યું, 'આતંકવાદના મુદ્દા પર કોઈ સમાધાન ન થવું જોઈએ. રાષ્ટ્રનું ધ્યાન રાખવું એ સમયની માંગ છે. સરકાર કાશ્મીરીઓના હિત, સુરક્ષા અને સલામતી માટે જે પણ પગલાં લેશે, અમારો પક્ષ તેનું સમર્થન કરશે. આ મહત્વપૂર્ણ સમયમાં, આપણે રાષ્ટ્રીય હિત માટે એક થવું પડશે.' ઓવૈસીએ કહ્યું કે એઈમિમ સુરક્ષા પર કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા પગલાંનું પણ સ્વાગત કરે છે.

આતંકવાદી એક શેતાન છે- ઈલ્યાસી

ઈલ્યાસીએ કહ્યું, 'આ ખૂબ જ દુઃખદ હુમલો છે. ગમે તેટલી નિંદા કરીએ તે પૂરતું નથી. આપણે બધાએ એક થઈને તેની સામે લડવું પડશે. અમે બધી મસ્જિદો, ખાસ કરીને જામા મસ્જિદો, મદરેસાને વિનંતી કરી છે કે તેઓ શુક્રવારની નમાજમાં આ હુમલામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલી આપે. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે. બધા ઇમામો ઉભા થઈને આતંકવાદ વિરુદ્ધ જાહેરાત કરશે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. આતંકવાદી એક શેતાન છે. પાકિસ્તાન ભારતમાં જે રીતે આતંકવાદ ફેલાવે છે તેનો જવાબ આપવા માટે ભારત તૈયાર છે. ચોક્કસ જવાબ આપવામાં આવશે. દેશે એક થઈને આતંકવાદ વિરુદ્ધ એક થવું પડશે.  

 'આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો'

દેશના તમામ મુસ્લિમ સંગઠનો, મૌલવીઓ અને સામાન્ય મુસ્લિમ નાગરિકો આ આતંકવાદી હુમલાનો આકરો વિરોધ અને નિંદા કરી રહ્યા છે. મુસ્લિમો કહે છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. તેઓ જેહાદના નામે ઈસ્લામને બદનામ કરી રહ્યા છે.

સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ

અગાઉ, ઓવૈસીએ પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ અને તેમના માસ્ટરોને તેમની કલ્પના બહાર સજા કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કર્યું હતું. ઓવૈસીએ કહ્યું હતું કે તેમનો પક્ષ રાષ્ટ્રીય હિતમાં સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ પગલાને સમર્થન આપે છે. તેમણે સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવાની તેમની માંગને પણ પુનરાવર્તિત કરી. હૈદરાબાદમાં પત્રકારોને સંબોધતા, ઓવૈસીએ કહ્યું કે પીડિત પરિવારો માટે ન્યાય ત્યારે જ નક્કી થશે જ્યારે જવાબદારી નક્કી કરવામાં આવશે અને આતંકવાદીઓને સજા કરવામાં આવશે.