VIDEO: હવે વિજય માલ્યા, મેહુલ ચોકસીને પણ લાગશે ડર! ભારતે કરી મોટી કાર્યવાહી, વર્ષ ૨૦૨૧થી ૩૬ દેશોમાંથી આટલા ભાગેડુ ગુનેગારોને સ્વદેશ પરત લાવ્યા
સોર્સ : gstv
કેન્દ્ર સરકારે જણાવ્યું કે ભારતે ૨૦૨૧થી ૩૬ દેશોમાંથી ૨૭૪ ભાગેડુ ગુનેગારોને પાછા લાવ્યા છે. આ પ્રત્યાર્પણ પ્રયાસોમાં વધારો દર્શાવે છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે કેન્દ્રે ભાગેડુ ગુનેગારોને પરત લાવવાને પ્રાથમિકતા બનાવી છે. આમાં આતંકવાદ, સંગઠિત ગુના, નાર્કોટિક્સ, સાયબર છેતરપિંડી, નાણાકીય ગુનાઓ તથા હત્યા, દુષ્કર્મ અને પોક્સો કાયદા હેઠળના ગુનેગારોનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહે તેમને કાયદો-વ્યવસ્થા સાથે સાર્વભૌમત્વ, આર્થિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષાના પડકાર તરીકે વર્ણવ્યા છે.

