VIDEO: આપણી સ્વતંત્રતા કોઈ છીનવી શકશે નહીં: ઉદ્ધવ ઠાકરે
સોર્સ : gstv
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેના ભવનમાં ત્રિરંગો ફરકાવ્યા બાદ દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોનું સમર્થન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનેક પ્રયાસો છતાં કોઈ પણ નાગરિકોની સ્વતંત્રતા કે બંધારણને છીનવી શકશે નહીં...ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત આંતરિક કે બાહ્ય કોઈ પણ શક્તિઓનો ગુલામ નહીં બને. દિલ્હી અને મુંબઈમાં વિરોધ કરી રહેલા યુવાનોને સમર્થન આપતા તેમણે ઉમેર્યું કે દેશની જનતા જાગૃત થઈ ચૂકી છે અને સ્વતંત્રતાના રક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

