VIDEO: "બોટ ડૂબતી રહી ને કોઈ બચાવવા ન આવ્યું..." બિહાર બોટ દુર્ઘટનામાં બચી ગયેલા મજૂરે વર્ણવી કાળજુ કંપાવનારી આપવીતી!
સોર્સ : gstv
બિહારમાં પૂર સુરક્ષા કામગીરી દરમિયાન બોટ પલટી જવાની ઘટનામાં બચી ગયેલા એક મજૂર અભિનંદન કુમારે સમગ્ર દુર્ઘટના અને બચાવ કામગીરીમાં થયેલી બેદરકારી અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
પ્રત્યક્ષદર્શી મજૂરના જણાવ્યા મુજબ જ્યારે બોટ નદીમાં ડૂબી રહી હતી, ત્યારે સ્ટીમર ઓપરેટર સહિત કોઈ પણ વ્યક્તિ તેમની મદદે આગળ આવ્યું ન હતું. બોટ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ તે પછી જ લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બોટમાં સવાર લોકોએ પોતાની જાતે જ મહામુસીબતે જીવ બચાવીને બહાર નીકળવું પડ્યું હતું. દુર્ઘટના સમયે બોટમાં 19 મજૂરો અને 2 નાવિકો સહિત કુલ 21 લોકો સવાર હતા.

