Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New Delhi railway station again crowded, chaos due to train delays

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફરી ભારે ભીડ જામી, ટ્રેનોના વિલંબથી અંધાધૂંધીનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2025
લાઇવ ટીવીGoogle News
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફરી ભારે ભીડ જામી, ટ્રેનોના વિલંબથી અંધાધૂંધીનો માહોલ

દેશની રાજધાની નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર ફરી એકવાર પ્રવાસીઓનું કિડીયારું ઊભરાતા ભારે અંધાધૂંધી સર્જાઈ છે. જે ગત મહિને સર્જાયેલી કરુંણાંતિકાની યાદ અપાવે તેવી છે. જો કે, આ વખતે એકદમ ગંભીર સ્થિતિ તો નથી પરંતુ રેલવે ટ્રેક પર અન્ય ટ્રેનો હાજર છે, તેમજ રવિવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ છે. જેથી પ્લેટફોર્મ પર ભારે જનમેદની એકઠી થઈ ગઈ છે.

App Store

આ દરમ્યાન રેલવેવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભારે ભીડ હતી, કોઈ નાસભાગ કે નાસભાગ જેવી પરિસ્થિતિ નહોતી. હોલ્ડિંગ વિસ્તારમાંથી અનરિઝર્વ્ડ મુસાફરોને લેવા માટેના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી સ્ટેશનથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક ટ્રેનોના મોડા દોડવાના કારણે વધારાની ભીડ એકઠી થઈ હતી. હવે કેટલીક ટ્રેનો રવાના થઈ ગઈ છે અને પરિસ્થિતિ સારી છે. કોઈ નાસભાગ કે ઈજાની ઘટના બની નથી.

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગત મહિને 15 ફેબ્રુઆરીએ થયેલી નાસભાગમાં 18 પ્રવાસીઓના મોત થયા હતા. આ અંગે રેલવે વહીવટી તંત્રએ પાંચ અધિકારીઓને ચાર માર્ચે પોતાના હોદ્દા પરથી હટાવી દીધા હતા. આમાંથી બે અધિકારીઓ ઉત્તર રેલવે હેડ કવાર્ટરમાં નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, 15 ફેબ્રુઆરીની ઘટના માટે જવાબદાર લોકોની તપાસ માટે એક હાઈ લેવલની તપાસ ચાલી રહી છે. જે અધિકારીઓની બેદરકારીથી આ દુખદ ઘટના બની હતી, તેને માત્ર ટ્રાંસફરના માધ્યમથી નહિ છોડવામાં આવે. તપાસ રિપોર્ટના તારણોના આધારે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.