VIDEO: જયપુરના સીતાપુરામાં વીજ સમસ્યાના કારણે NEET-PG પરીક્ષા મોકૂફ થતાં રોષ
સોર્સ : gstv
NBEMSએ જયપુરના iON ડિજિટલ ઝોન સીતાપુરા ખાતે વીજળીની સમસ્યાના કારણે અધૂરી રહેલી NEET-PG 2026ની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કર્યો છે. આ કેન્દ્રના ઉમેદવારોની પરીક્ષા હવે 5 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 3 વાગ્યે જયપુરમાં યોજાશે. દેશભરના 1,111 કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષામાં 2.63 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જયપુરના બે પરીક્ષા કેન્દ્રો, TC નંબર 41682 અને 41683 પર ટેક્નિકલ ખામીના કારણે ઉમેદવારો પેપર પૂર્ણ કરી શક્યા નહોતા. આથી અસરગ્રસ્ત ઉમેદવારો માટે NBEMS દ્વારા રિ-એગ્ઝામની જાહેરાત કરવામાં આવી છે.

