Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Milind Deora praises PM Modi for Anti Obesity Campaign

Anti Obesity Campaign માટે મિલિંદ દેવરાએ PM મોદીની કરી પ્રશંસા, અમેરિકાનું ઉદાહરણ આપી સમજાવ્યું-કેમ જરૂરી છે મેદસ્વિતા રોકવી

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2025
લાઇવ ટીવીGoogle News
Anti Obesity Campaign માટે મિલિંદ દેવરાએ PM મોદીની કરી પ્રશંસા, અમેરિકાનું ઉદાહરણ આપી સમજાવ્યું-કેમ જરૂરી છે મેદસ્વિતા રોકવી

શિવસેના સાંસદ મિલિંદ દેવરાએ રાજ્યસભામાં પોતાના ભાષણમાં  Anti Obesity campaign માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. મિલિંદ દેવરાએ કહ્યું, આજે જો આપણે  અમેરિકાનું ઉદાહરણ લઈએ તો અમેરિકામાં સ્થૂળતા માત્ર સ્વાસ્થ્યની સમસ્યા નથી.હું માનું છું કે આ એક મોટું આર્થિક સંકટ પણ છે. ભારત માટે અમેરિકા પાસેથી શું શીખવું જોઇએ તેમાં કેટલાક ડેટા હાઇલાઇટ કરવા માંગુ છું.

App Store

આજે અમેરિકામાં 42% પુખ્ત વયના લોકો અને 20% બાળકો મેદસ્વી છે. માત્ર બે દાયકામાં આ 30% વધારો છે. સ્થૂળતા સંબંધિત રોગ દર વર્ષે અમેરિકા $1.4 ટ્રિલિયનનો ખર્ચ કરે છે. આ તેના GDPના 7 ટકા છે. અમેરિકામાં ત્રણમાંથી એક મૃત્યુ સ્થૂળતાને કારણે થાય છે. આ એક સીધો સંદેશ છે કે આપણે મેદસ્વીતા પર વધારે કામ કરવું પડશે."

ભારતમાં 5 વર્ષમાં પુરૂષોમાં મેદસ્વિતા 23% વધી

મિલિંદ દેવરાએ કહ્યું, "પ્રાઇમરી હેલ્થ સર્વેના ડેટા અનુસાર ભારતમાં 5 વર્ષમાં પુરૂષોમાં મેદસ્વિતા 19% વધીને 23% થઇ ગઇ છે. મહિલાઓમાં 21 % વધીને 24% થઇ ગઇ છે. કેટલાક લોકોએ કુપોષણ પર વાત કરી છે. આ ઘટનામાં સરકાર સારૂ કામ કરી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં 5 વર્ષમાં નાની ઉંમરના 3માંથી એક બાળક કુપોષણનો શિકાર છે. બીજી તરફ શહેરોમાં બાળકોને મેદસ્વિતાની પરેશાની છે. ગત 10 વર્ષમાં વધુ વજન ધરાવતા બાળકોની સંખ્યામાં 60%નો વધારો થયો છે. 2030 સુધી ભારતમાં મેદસ્વિતા સાથે જોડાયેલરી બીમારીઓ પર થતો ખર્ચ GDPના 1.6 ટકા સુધી પહોંચી શકે છે. આ વાર્ષિક 7 લાખ કરોડ રૂપિયા થઇ જાય છે. હું માનું છું કે મેદસ્વિતા માત્ર એક સ્વાસ્થ્યની સમસ્યા નથી. આ ગંભીર આર્થિક પડકાર છે અને તેને રોકવામાં ના આવ્યું તો સારવાર પર ખર્ચ વધવા અને ઉત્પાદકતા ઘટવાથી લાંબા સમયથી ભારતના વિકાસ પર અસર કરી શકે છે.

વજનને વધતા કેવી રીતે રોકી શકાય?

સ્થૂળતાથી બચવાનો સૌથી અસરકારક ઉપાય એ છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી. તમારે સક્રિય રહેવું જોઈએ. સ્વસ્થ આહાર લો અને પૂરતી ઊંઘ લો. સોફ્ટ ડ્રિંક્સથી અંતર રાખો. સ્થૂળતા ઘણીવાર અનેક જોખમી પરિબળોના સંયોજનને કારણે થાય છે. આમાં આનુવંશિકતા, નબળો આહાર, સક્રિય ન હોવું, આરોગ્ય અને તંદુરસ્ત ખોરાકનો અભાવ સામેલ છે. સ્થૂળતા નિવારણ બાળપણથી જ શરૂ થવું જોઈએ. જો કે, સ્વસ્થ વિકલ્પ પસંદ કરવાનું શરૂ કરવામાં ક્યારેય મોડું થતું નથી.

બાળકોમાં સ્થૂળતા કેવી રીતે રોકી શકાય?

સ્થૂળતા ઘણીવાર બાળપણમાં શરૂ થાય છે. સંશોધન મુજબ, જો કોઈ વ્યક્તિ 5 વર્ષની ઉંમરે મેદસ્વી હોય છે, તો તે પુખ્ત વયના બને ત્યારે સ્થૂળતાનો ભોગ બને છે. જો બાળક 5 વર્ષની ઉંમરે મેદસ્વી ન હોય, તો તેના સમગ્ર જીવન દરમિયાન સ્થૂળતાનું જોખમ ઘણું ઓછું હોય છે.

બાળપણની સ્થૂળતાને રોકવા માટે આ ઉપાયો કરો

સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપો: બાળકોને જંક ફૂડથી દૂર રાખો. બેકડ તજ એપલ ક્રિસ્પ્સ જેવા હેલ્ધી નાસ્તા માટે બટાકાની ચિપ્સ જેવા પ્રોસેસ્ડ નાસ્તાને સ્વેપ કરો. હળવા પીણાં ન આપો.

સક્રિય બનો: બાળકોને રમવા દો. શાળા પછી તેમને રમવા અથવા સાયકલ ચલાવવા દો. 6 થી 17 વર્ષની વયના બાળકોએ દરરોજ 60 મિનિટની શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ.

પૂરતી ઊંઘઃ બાળકોને પૂરતી ઊંઘ મળે તેની ખાતરી કરો. ઊંઘની ઉણપ સ્થૂળતા,ટાઇપ 2 ડાયાબિટીસ અને અન્ય રોગોનું જોખમ વધારે છે.

સ્ક્રીન ટાઈમ ઓછો કરો: બાળપણમાં વધુ પડતું ટીવી કે મોબાઈલ ફોન જોવાથી સ્થૂળતાનું જોખમ વધી જાય છે. બાળકોને જ્યારે પણ શક્ય હોય ત્યારે શારીરિક પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપો. સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા સ્ક્રીન બંધ કરી દેવી જોઈએ.