નોઈડાના આટા માર્કેટમાં ભીષણ આગ, શોપિંગ કોમ્પ્લેક્ષમાં લોકો ચીસો પાડી દોડ્યા

મંગળવારે નોઈડાના સેક્ટર ૧૮ આટા માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. કૃષ્ણા પ્લાઝા નામના શોપિંગ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાથી અરાજકતા અને હંગામો મચી ગયો હતો. આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા ઇમારતમાં ફસાયેલા લગભગ 50 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સંકુલમાં ઘણી કંપનીઓની ઓફિસો અને શોરૂમ આવેલા છે.
મંગળવારે બપોરે નોઈડાના સેક્ટર ૧૮માં કૃષ્ણા અપરા પ્લાઝા માર્કેટમાં એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ બજારમાં અંધાધૂંધી મચી ગઈ અને સેંકડો લોકો બહાર નીકળી આવ્યા. આગ લાગ્યા પછી અને બજાર ધુમાડાથી ભરાઈ ગયા પછી, ઘણા લોકો કોમ્પ્લેક્સમાંથી નીચે કૂદી પડ્યા અને તેમાંથી કેટલાક ઘાયલ થયા. ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરી હાથ ધરીને બજારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

