VIDEO: મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગોનું મોટાપાયે પલાયન? આદિત્ય ઠાકરેના આ ચોંકાવનારા આંકડાથી રાજ્યમાં ભારે ખળભળાટ!
સોર્સ : gstv
શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, “લગભગ 35,000 બિઝનેસ કાં તો મહારાષ્ટ્ર છોડી ગયા છે અથવા બંધ થઈ ગયા છે; આ ઉપરાંત, આશરે 20 જેટલા ઉદ્યોગો હાલ અન્યત્ર સ્થળાંતર કરવાની તૈયારીમાં છે, કારણ કે વીજળી, પાણી, રસ્તા અને કચરા વ્યવસ્થાપન જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી નથી.
ફડણવીશ સરકાર પર હુમલો કરતાં આદિત્ય ઠાકરેે વહિવટીતંત્ર ઉપર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પણ પૂરા કરવામાં આવી રહ્યા નથી. ઉદ્યોગોને સામાન્ય રીતે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવે છે જે ખૂબ મૂળભૂત હોય છે, છતાં તે પણ આપવામાં આવી રહ્યા નથી. હું અહીં ભોગવવી પડતી સમસ્યાઓને જનતા સમક્ષ લાવવા માગું છું.”

