VIDEO: દિલ્હીમાં મણિપુરના સંગીતકારની હત્યા, રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
સોર્સ : gstv
દિલ્હીના કિલોકરી ગામમાં રહેતા 54 વર્ષીય મણિપુરી સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહની ઘરમાંથી બહાર જઈને અવાજ ઓછો કરવાનું કહેવા બદલ નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજધાનીમાં પૂર્વોત્તરના લોકોની સુરક્ષાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે દિલ્હીમાં પૂર્વોત્તરના લોકો વિરુદ્ધ વધતી અરાજકતા રોકવા માટે ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ શું કરી રહી છે? તેમણે આ મામલે ત્વરિત તપાસ અને કડક ન્યાયની માંગ કરી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 7 પુખ્ત આરોપીઓ અને 1 સગીરની ધરપકડ કરી છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

