જલગાંવમાં મોટી ટ્રેન દુર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવાથી કુદેલા 11 મુસાફરોને અન્ય ટ્રેને કચડ્યા

મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા છે. મળતી માહિતી અનુસાર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા હતી જેને કારણે મુસાફરો ટ્રેનમાંથી કુદી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોના મોતના પણ સમાચાર છે.
આગની અફવાથી ટ્રેનમાંથી કુદી ગયા મુસાફર
PTI અનુસાર આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જલગાંવમાં 20 કિલોમીટર દૂર પુષ્પક એક્સપ્રેસથી કેટલાક મુસાફર ટ્રે્નમાં આગ લાગવાની અફવલાને કારણે ટ્રેનમાંથી કુદી ગયા હતા. મૃતકોનો આંકડો વધી શકે છે. બનાવની જાણ થતા જ જિલ્લા તંત્રના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

