Maharstra news નાયબ મુખ્યમંત્રી પછી હવે પાર્ટી અધ્યક્ષ, સુનેત્રા પવારને મળી NCPની જવાબદારી

વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુ બાદ, રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. અજિત પવાર દ્વારા સંભાળવામાં આવેલ નાયબ મુખ્યમંત્રી પદ સુનેત્રા પવારને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ, એવી અટકળો શરૂ થઈ હતી કે અજિત પવારના પુત્ર પાર્થ પવારને પણ મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવશે. બંને NCP પક્ષો વચ્ચે વિલયની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી, પરંતુ અજિત પવારના પક્ષમાં વરિષ્ઠ નેતાઓની અનિચ્છાને કારણે આ ચર્ચા હવે મુલતવી રાખવામાં આવી છે.
સ્વર્ગસ્થ અજિત પવારના પત્ની અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. પાર્ટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનેત્રા પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા સાથે, રાજ્યમાં એક નવા યુગની શરૂઆત થઈ છે.

