Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Iranian Foreign Minister to arrive in India after Operation Sindoor

Operation Sindoor પછી ભારત પહોંચશે ઈરાનના વિદેશમંત્રી, એસ.જયશંકર-રાષ્ટ્રપતિની લેશે મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 07 May 2025
લાઇવ ટીવીGoogle News
Operation Sindoor પછી ભારત પહોંચશે ઈરાનના વિદેશમંત્રી, એસ.જયશંકર-રાષ્ટ્રપતિની લેશે મુલાકાત

પાકિસ્તાનમાં ભારતના ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વનું ધ્યાન હાલમાં દક્ષિણ એશિયા પર કેન્દ્રિત છે. હુમલા પછી, ભારતે UNSC ના 15 સભ્ય દેશોને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી. આ દરમિયાન, મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી ભારતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિદેશમંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તે પછી તેઓ રાત્રે 8 વાગ્યે તેહરાન જવા રવાના થશે.તમને જણાવી દઈએ કે આ પહેલા અરાગચી સોમવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હતા. તેમની મુલાકાત અંગે અટકળો લગાવવામાં આવી રહી છે કે શું તેમની ભારત મુલાકાત શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે? 

App Store

ઈરાનના વિદેશમંત્રી આજે રાત્રે 10:30 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. જ્યાં આવતીકાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે તેમના ભારતીય સમકક્ષ એસ.જયશંકરને મળશે. તે પછી સાંજે 4 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. 

જયશંકરે 4 દેશોના વિદેશ મંત્રીઓને ફોન કર્યો

 વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે ઓપરેશન સિંદૂર અંગે જાપાન, ફ્રાન્સ, જર્મની અને સ્પેનના તેમના સમકક્ષો સાથે વાત કરી. આ દરમિયાન, તેમણે ત્રણેય દેશોના વિદેશમંત્રીઓને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા વિશે માહિતી આપી હતી. બીજી તરફ, અમેરિકા અને યુએન સેક્રેટરી જનરલે બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હચમચી ગયું

તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં 4 આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી ભારતે પાકિસ્તાન પર કમર તોડી નાખે તેવી કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો અને મંગળવારે રાત્રે લગભગ 1 વાગ્યે ભારતીય સેનાએ હવાઈ હુમલો કરીને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. પાકિસ્તાનમાં થયેલા આ હુમલામાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા.