ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની જહાજનો પીછો કર્યો, કહ્યું ‘ભારતીય જળસીમામાં પ્રવેશવા નહીં દઈએ’

સંરક્ષણ અધિકારી જણાવ્યું કે, પાકિસ્તાન સાથેની મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન પાસે તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ એડવાન્સે લગભગ બે કલાકના પીછો બાદ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીના જહાજ પીએમએસ નુસરતનો પીછો કર્યો હતો અને તેમને સ્પષ્ટ કહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં તે પાકિસ્તાની જહાજને ભારતીય જળસીમામાં પ્રવેશવા દેશે નહીં. આ વિસ્તાર માછીમારી બોટને કાલ ભૈરવથી ભારતીય માછીમારોને પરિવહન કરવાની મંજૂરી આપશે નહીં. ભારતીય માછીમારોને બચાવવા માટે ICGS એડવાન્સે પાકિસ્તાની જહાજનો બે કલાકથી વધુ સમય સુધી પીછો કર્યો.
પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ
રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો, પરંતુ માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો.
કોસ્ટગાર્ડે માછીમારોનો કર્યો બચાવ
મળતી માહિતી મુજબ રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને માછીમારોનો આબાદ બચાવ કર્યો હતો. જોકે, સમગ્ર ફાયરિંગની ઘટનામાં માછીમારોની બોટમાં નુકસાન થતાં તે પાણીમાં ડૂબી ગઈ હતી. નોંધનીય છે કે, સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ
બપોર બાદ કોસ્ટગાર્ડની ટીમ માછીમારોને ઓખા બંદરે લઈને આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગની ઘટના બનતા ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

