VIDEO: મસૂદ અઝહર પર ઈનામની જાહેરાતને ભારતે ગણાવી ખોટી, પાકિસ્તાનને નક્કર કાર્યવાહી કરવા તાકીદ
સોર્સ : gstv
પાકિસ્તાન દ્વારા જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરની ધરપકડ અથવા માહિતી આપનારને ૭૦ લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાતની ભારતે આકરી ટીકા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ પગલાંને ખોટા અને લોકોની આંખમાં ધૂળ નાખવાના પ્રયાસ ગણાવ્યા છે. પાકિસ્તાન સરકાર માત્ર નાટક કરવાને બદલે આતંકવાદ સામે નક્કર પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. અઝહર વર્ષ ૨૦૦૧ના સંસદ હુમલા, પઠાણકોટ એરબેઝ અને પુલવામા વિસ્ફોટ જેવા અનેક મોટા આતંકવાદી કેસોમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી છે.

