VIDEO: હું ઈચ્છતો હતો કે રાહુલ ગાંધીના હાથે અનશન તોડું, સંસદ માર્ચ માટે ઘડાઈ હતી ખાસ યોજના
NEET પેપર લીક વિરોધ અને 'કોકરોચ જનતા પાર્ટી'ના આંદોલનને લઈને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકનું મોટું નિવેદન સામે આવ્યું છે. 36 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કરનારા સોનમ વાંગચુક જણાવ્યુ હતું કે તેઓ ઈચ્છતા હતા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને જ્યુસ પીવડાવીને સન્માનજનક રીતે તેમનું આમરણાંત ઉપવાસ પૂર્ણ કરાવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો સત્તાપક્ષ તરફથી કોઈ જવાબ ન મળે તો વિપક્ષ આ મુદ્દાની જવાબદારી લે અને સંસદમાં દેશના યુવાનોનો અવાજ બુલંદ કરે.
20 જુલાઈના સંસદ માર્ચ માટે ઘડાઈ હતી ખાસ યોજના
20 જુલાઈના રોજ યોજાનારા સંસદ માર્ચ અંગે વાંગચુક જણાવ્યુ કે તેમની યોજના ખૂબ જ શાંતિપૂર્ણ હતી. તેમણે વિચાર્યું હતું કે તેઓ વધુ 12 દિવસ આમરણાંત ઉપવાસ લંબાવીને 20 જુલાઈએ સંસદ ભવન જઈ સાંસદોને પોતાનું આવેદનપત્ર સોંપશે. તેમના સહયોગી આશુતોષ અને સૌરભે 10 થી 15 હજાર લોકો આવવાની ધારણા રાખી હતી, પરંતુ માર્ચમાં 1 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. તેમણે ઉમેર્યું કે કોઈ તોડફોડ કે હિંસા કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો.

