Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'I reached here after breaking the arms and legs of 7 policemen', Yogi's minister

VIDEO: 'હું 7 પોલીસોના હાથ પગ તોડાવીને અહીં પહોંચ્યો છું', યોગીના મંત્રીએ જાહેર મંચ પરથી આપ્યું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'હું 7 પોલીસોના હાથ પગ તોડાવીને અહીં પહોંચ્યો છું', યોગીના મંત્રીએ જાહેર મંચ પરથી આપ્યું નિવેદન

યુપી સરકારના મંત્રી અને નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તે સ્ટેજ પરથી જાહેરસભામાં વિવાદાસ્પદ નિવેદનો આપતા જોવા મળે છે. પોલીસકર્મીઓ તરફ ઈશારો કરતા સંજય નિષાદ કહે છે કે હું અહીં આવી રીતે નથી પહોંચ્યો, હું સાત ઈન્સ્પેક્ટરના હાથ-પગ તોડાવીને તેને ખાડામાં ફેંકાવીને અહીં સુધી પહોંચ્યો છું. 

App Store

જણાવી દઈએ કે, સુલતાનપુરમાં મંત્રી સંજય નિષાદે આરોપ લગાવ્યો કે, તેમના સમુદાયના ઘણા લોકોને નકલી કેસોમાં ફસાવવામાં આવ્યા છે. તેમણે પોલીસકર્મીઓને કહ્યું કે, અમારા છોકરાઓ સામેના બધા ખોટા કેસ દૂર કરો, નહીં તો વિરોધ થશે, ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવશે, હું મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશ. હું અહીં એમ જ નથી પહોંચ્યો, ઘણા પોલીસ ઇન્સ્પેક્ટરના હાથ-પગ તોડાવીને અહીં પહોંચ્યો છું.

મંત્રીએ વધુમાં કહ્યું કે જો કોઈ નિષાદને નકલી કેસમાં ફસાવવામાં આવશે તો અમે તેને સહન નહીં કરીએ. જો ઇન્સ્પેક્ટર ખૂબ નાટક કરશે તો તે જેલમાં જશે અને તેને જામીન પણ નહીં મળે. જો જરૂર પડશે તો અમે ઇન્સ્પેક્ટર સામે વધુ કડક કાર્યવાહી કરીશું.
 
 જણાવી દઈએ કે ગત મંગળવારે ડૉ. સંજય નિષાદ તેમની નિષાદ પાર્ટીની જનાધિકાર યાત્રા સાથે સુલતાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રતાપગઢ-સુલતાનપુર સરહદ પર સ્થિત ચાંદા વિસ્તારના મદારદીહ ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું.

જણાવી દઈએ કે, 14 માર્ચે હોળીના દિવસે શાહપુર ગામમાં હોળી રમતી વખતે દલિત અને નિષાદ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે ઝઘડામાં ઘાયલ 65 વર્ષીય દલિત મહિલા સુનારા દેવીનું મૃત્યુ થયું. મૃતક મહિલાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે શાહપુર ગામના સરપંચ કૃષ્ણ કુમાર નિષાદ સહિત 5 લોકો સામે કેસ નોંધ્યો હતો અને ગામના સરપંચ સહિત 4 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા.

જ્યારે નિષાદ પાર્ટીના વડા અને કેબિનેટ મંત્રી સંજય નિષાદને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે સ્ટેજ પરથી પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો અને કહ્યું કે નિષાદ સમુદાયના લોકોને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તે નિર્દોષ છે. તેમને મુક્ત કરવામાં આવે નહીં તો તેમની સામે કાર્યવાહી કરાશે.