VIDEO: વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધતાં ઘાટ જળમગ્ન
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં સતત અને ઝડપી વધારો થતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નદીના પાણીમાં સતત વધારો થવાને કારણે પ્રખ્યાત દશાશ્વમેધ ઘાટ સહિત અનેક નાના-મોટા ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘાટો જળમગ્ન થવાના કારણે વિશ્વપ્રસિદ્ધ ગંગા આરતીનું સ્થળ પણ સુરક્ષાના કારણોસર બદલવાની અને ઊંચા સ્થાને ખસેડવાની ફરજ પડી છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલે નદીમાં બોટિંગ અને નૌકા સંચાલન પર આગામી આદેશ સુધી કડક પ્રતિબંધ લાદી દીધો છે. કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે NDRF, જળ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમોને ઘાટ કિનારે 24 કલાક સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરવા માટે તૈનાત કરી દેવામાં આવી છે.

