Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : First scenes of Pahalgam terror attack captured on camera

'Gunshots, Screaming, Chaos': પહેલગામ આતંકવાદી હુમલાના પ્રથમ દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2025
લાઇવ ટીવીGoogle News
'Gunshots, Screaming, Chaos': પહેલગામ આતંકવાદી હુમલાના પ્રથમ દ્રશ્યો કેમેરામાં થયા કેદ

બુધવારે દક્ષિણ કાશ્મીરના પહેલગામના પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ બૈસરન ખીણમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ઘણા પરિવારો હજુ પણ આઘાતમાં છે. આતંકવાદીઓના ક્રૂર હુમલાથી બચવા માટે બચી ગયેલા ઘણા લોકોએ પોતાના ભયાનક અનુભવો શેર કર્યા હતા. લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણથી ચાર આતંકવાદીઓના જૂથે ઘટનાસ્થળે પ્રવેશ કર્યો અને પ્રવાસીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું, જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા.

App Store

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં આતંકવાદીઓએ મુલાકાતીઓ પર ગોળીબાર કર્યો હતો, જેઓ તેમના પરિવાર અને મિત્રો સાથે મનોહર દૃશ્યનો આનંદ માણી રહ્યા હતા. એક વીડિયોમાં હુમલાની ચોક્કસ ક્ષણ કેદ કરવામાં આવી છે. વીડિયોમાં ગભરાટમાં ફરતા પ્રવાસીઓની ગોળીબાર અને ચીસો સાંભળી શકાય છે.

'મોદીને આ વાત કહેજો', હુમલાખોરે બચી ગયેલા વ્યક્તિને કહ્યું

બચી ગયેલા લોકોએ પોતાની સાથે થયેલા ભયાનક અનુભવો વર્ણવ્યા હતા. બચી ગયેલા લોકોમાંથી એક મહિલાએ  મીડિયાને જણાવ્યું કે આતંકવાદીઓએ તેના પતિની હત્યા કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો. પલ્લવી જેમણે તેમના પતિ મંજુનાથને ગુમાવ્યા હતા, તેનણે ખુલાસો કર્યો  હતો કે  તેમણે અને તેમના 18 વર્ષના પુત્ર બંનેએ આતંકવાદીનો સામનો કર્યો હતો અને મંજુનાથની સાથે મારવાની વિનંતી કરી હતી. જોકે, આતંકવાદીએ મહિલાને કહ્યું હતું કે તે તેને  નહીં મારે જેથી તે પીએમ મોદીને હુમલા વિશે જણાવી શકે.

મીડિયા સાથે વાત કરતાં, પલ્લવીએ કહ્યું, "અમે પહેલગામમાં ફરવા નિકળ્યા હતા, અને મારા પતિનું મારી સામે જ મૃત્યુ થયું. હું રડી શકી નહીં કે પ્રતિક્રિયા આપી શકી નહીં - મને સમજાયું પણ નહીં કે શું થયું.  કર્ણાટકના શિવમોગાથી હું મારા પતિ મંજુનાથ અને અમારા પુત્ર અભિજેય સાથે અહીં આવી હતી."

મહિલાએ  કહ્યું, "મારી સાથે મારો કાર ડ્રાઈવર પણ હતો, જે એક સારો વ્યક્તિ છે. તેણે મને કહ્યું કે હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ અન્ય લોકો, જેઓ 'બિસ્મિલ્લાહ'ની બૂમો પાડી રહ્યા હતા, આ  તેમણે અમને સલામત સ્થળે પહોંચવામાં મદદ કરી. હું ઇચ્છું છું કે મારા પતિનો મૃતદેહ હવાઈ માર્ગે લાવવામાં આવે. આપણે ત્રણેય સાથે પાછા ફરવું જોઈએ."

"મેં જોયું કે ત્રણથી ચાર હુમલાખોરો હતા. મારા પતિની હત્યા થયા પછી, મેં એક આતંકવાદીનો સામનો કર્યો અને કહ્યું, 'મેરે પતિ કો મારા હૈ ના, મુઝે ભી મારો' (You've killed my husband, kill me too).. "મારા દીકરાએ પણ તેનો સામનો કર્યો અને કહ્યું, સાલે 'કુત્તે, મેરે પપ્પા કો મારા, હમેં ભી માર ડાલો' (You dog, you killed my father, kill us too),,"