Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fadnavis government will provide Rs 50 lakh and government jobs to Pahalgam victims

Pahalgam પીડિતોને 50-50 લાખ રૂપિયા, સરકારી નોકરી; ફડણવીસ સરકારે લીધો આ નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Pahalgam પીડિતોને 50-50 લાખ રૂપિયા, સરકારી નોકરી; ફડણવીસ સરકારે લીધો આ નિર્ણય

Pahalgam victims : જમ્મુ અને કાશ્મીરના Pahalgam માં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા મહારાષ્ટ્રના નાગરિકોના પરિવારો માટે દેવેન્દ્ર ફડણવીસ સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. આજે (29 એપ્રિલ), મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળની બેઠકમાં પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેમના પરિવારો માટે વિશેષ નાણાકીય સહાય પેકેજ મંજૂર કરવામાં આવ્યું.

App Store

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા મહારાષ્ટ્રના લોકોના પરિવારો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પહેલગામમાં જીવ ગુમાવનારા મહારાષ્ટ્રના લોકોના પરિવારોને ૫૦ લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત દરેક પીડિત પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી પણ આપવામાં આવશે.

સીએમ ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે પીડિત પરિવારોને મદદ કરવાનો નિર્ણય લીધો છે.  'પહેલગામમાં જે લોકોના સભ્યો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારોને સરકાર દ્વારા શિક્ષણ અને રોજગાર આપવામાં આવશે.' સરકાર આ તમામ પરિવારોની પડખે ઉભી છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના આ લોકોએ ગુમાવ્યા જીવ

હેમંત સતીશ જોશી – થાણે, મુંબઈ (મહારાષ્ટ્ર)
અતુલ શ્રીકાંત મોની – શ્રીરામ અચલ સીએચએસ, વેસ્ટ રોડ, મુંબઈ (મહારાષ્ટ્ર)
સંજય લક્ષ્મણ લાલી - થાણે, મુંબઈ (મહારાષ્ટ્ર)
દિલીપ ડસીલ - પનવેલ, મુંબઈ (મહારાષ્ટ્ર)
સંતોષ જગધા - પુણે, મહારાષ્ટ્ર
કસ્તુબ ગાવનોટાય - પુણે, મહારાષ્ટ્ર