Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Encounter begins against terrorists in Udhampur ahead of Amarnath Yatra

અમરનાથ યાત્રા પહેલા ઉધમપુરમાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો 

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2025
લાઇવ ટીવીGoogle News
અમરનાથ યાત્રા પહેલા ઉધમપુરમાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો 

અમરનાથ યાત્રા શરૂ થવાના એક અઠવાડિયા પહેલા જ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. 

App Store

પ્રાપ્ત માહિતી અનુસાર, 2થી 3 આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આજે સવારે સુરક્ષા એજન્સીઓને વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ વિશે માહિતી મળતા એક ખાસ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતા એન્કાઉન્ટર શરૂ થયું છે.

સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ ઓપરેશન હાથ ધરી રહી છે. આતંકવાદીઓ કોઈપણ દિશામાંથી ભાગી ન શકે તે માટે વિસ્તારની ઘેરાબંધી કડક કરવામાં આવી છે. આ વિસ્તારમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને ડ્રોન અને સર્વેલન્સ સાધનો દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ઓપરેશન બિહાલી. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા બસંતગઢના બિહાલી વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ છે.

જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જવાની અપેક્ષા છે. હાલમાં અમરનાથ યાત્રા રૂટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.