Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Election Commission's response to Rahul Gandhi's allegations of vote theft

'સોગંદનામું આપો', રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
'સોગંદનામું આપો', રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
સોર્સ : The Hindu

કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળને શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યા સુધી મળવાનો સમય પણ આપ્યો છે.

App Store

રાહુલ ગાંધીના દાવા પર ચૂંટણી પંચનો જવાબ

કર્ણાટક ચૂંટણી પંચે ગુરુવારે રાહુલ ગાંધીના મતદાર યાદીમાં છેડછાડના આરોપોનો જવાબ આપ્યો. કર્ણાટકના ચૂંટણી કમિશનરે અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર રાહુલ ગાંધી પાસેથી સોગંદનામું માંગ્યું છે. પત્રમાં જણાવાયું છે કે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે 8 ઓગસ્ટ, 2025ના રોજ CEOને મળવા અને મેમોરેન્ડમ સબમિટ કરવા માટે સમય માંગ્યો હતો, જેના માટે બપોરે 1 થી 3 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

CEO એ માહિતી આપી હતી કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950, મતદાર નોંધણી નિયમો 1960 અને ચૂંટણી પંચની સૂચનાઓ અનુસાર પારદર્શક રીતે મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. પત્ર અનુસાર, ડ્રાફ્ટ મતદાર યાદી નવેમ્બર 2024 માં કોંગ્રેસ સાથે શેર કરવામાં આવી હતી અને અંતિમ મતદાર યાદી જાન્યુઆરી 2025 માં શેર કરવામાં આવી હતી. આ પછી, કોંગ્રેસ દ્વારા કોઈ અપીલ કે ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી.

રાહુલ ગાંધીએ સોગંદનામું રજૂ કરવું જોઈએ-CEO

CEO એ રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે મતદાર યાદીમાંથી સમાવિષ્ટ અથવા દૂર કરાયેલા વ્યક્તિઓના નામ, ભાગ નંબર અને સીરીયલ નંબર સાથે સોગંદનામું રજૂ કરે જેથી જરૂરી કાર્યવાહી શરૂ કરી શકાય. સોગંદનામામાં એવું પણ જાહેર કરવું પડશે કે આપવામાં આવેલી માહિતી સાચી છે, અને ખોટી માહિતી આપવા બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

પત્રમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચૂંટણી પરિણામોને ફક્ત હાઇકોર્ટમાં ચૂંટણી અરજી દ્વારા જ પડકારી શકાય છે. ઉલ્લેખનીય છે કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, ભારતના ચૂંટણી પંચે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને ભ્રામક, તથ્યહીન અને ધમકીભર્યું ગણાવ્યું છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર મતોની હેરાફેરીનો લગાવ્યો હતો આરોપ

 રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર અને કર્ણાટકના મતદારોની યાદી રજૂ કરતાં બંને રાજ્યોમાં નકલી વોટર્સ હોવાનો આરોપ મૂક્યો હતો.રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચની ધાંધલીનો પર્દાફાશ કરતાં કહ્યું કે, બંધારણનો પાયો વોટ છે. એવામાં આપણે વિચારવુ જોઈએ કે, શું યોગ્ય લોકોને વોટ આપવાનો હક અપાઈ રહ્યો છે, શું મતદારયાદીમાં નકલી મતદારોને જોડવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતોની ચોરી થઈ. અમે મહારાષ્ટ્રમાં હારી ગયા. મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમયી છે. મતદાર યાદી મુદ્દે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ અને જણાવવુ પડશે કે, મતદાર યાદી યોગ્ય છે કે, ખોટી? ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા કેમ નથી આપતી? અમે પંચ પાસે વારંવાર ડેટા મગાવ્યો હતો, પરંતુ તેમણે આપ્યો નહીં. તેમજ જવાબ આપવાનો પણ ઈનકાર કરી દીધો.