Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Eknath Shinde calls Rahul Gandhi a Pakistani agent

'ઓપરેશન સિંદૂર પર સવાલો કરનારાઓ ગદ્દાર', એકનાથ શિંદેએ રાહુલ ગાંધીને બતાવ્યા પાકિસ્તાની એજન્ટ

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2025
લાઇવ ટીવીGoogle News
'ઓપરેશન સિંદૂર પર સવાલો કરનારાઓ ગદ્દાર', એકનાથ શિંદેએ રાહુલ ગાંધીને બતાવ્યા પાકિસ્તાની એજન્ટ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ગઈકાલે ગુરૂવારે પાર્ટીની સ્થાપના દિવસ નિમિત્તે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં શરૂ કરેલા ઓપરેશન સિંદૂર પર સવાલો ઉઠાવનારાઓને ગદ્દાર કહ્યા છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા હતા. તેમજ શિંદેએ શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વનો ત્યાગ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. 

App Store

રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટઃ શિંદે

એકનાથ શિંદેએ વર્લીમાં NSCI ડોમમાં પાર્ટીના સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, અમને ઓપરેશન સિંદૂર પર ગર્વ છે. લોકો આપણી સેના પર શંકા કરે છે. તેમને આપણી સેના પર વિશ્વાસ નથી. પાકિસ્તાનના સેના પ્રમુખ પર વિશ્વાસ છે. આપણા સૈનિકોની શૂરવીરતાને સલામ કરવાના બદલે તેઓ આપણા હથિયારોને થયેલા નુકસાન વિશે સવાલો કરી રહ્યા છે. આ પ્રકારના સવાલો ઉઠાવવા દેશદ્રોહ સમાન છે. રાહુલ ગાંધી અને તેમના પક્ષના લોકો પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.

શું પાકિસ્તાન પાસેથી એવોર્ડ જોઈએ

શિંદેએ આગળ કહ્યું કે, ભારતીય સેના પર સવાલો ઉઠાવનારા પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. લાગે છે, તેમને પાકિસ્તાન પાસેથી એવોર્ડ જોઈએ છે. જે લોકો આપણા સશસ્ત્ર દળો પર સવાલો ઉઠાવી રહ્યા છે. અને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે કે, આપણે કેટલા જેટ ગુમાવ્યા? શું તેમને પાકિસ્તાન પાસેથી સર્ટિફિકેટ કે એવોર્ડ જોઈએ છે?

ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું

શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધતાં તેમના પર હિન્દુત્વનો ત્યાગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, એક તરફ સત્તા માટે હિન્દુત્વ સાથે સમાધાન કરતો એક કાર્યક્રમ યોજી રહ્યા છે. અને અમે દિવંગત બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને આધિન એક કાર્યક્રમ યોજી રહ્યા છીએ. UBT જૂથ હિન્દુત્વ અને ઠાકરેના વારસાનો ત્યાગ કરી ગઠબંધન માટે અહીં-તહીં ભાગી રહ્યા છે. મહેરબારી કરીને અમારી સાથે ગઠબંધન કરી લો. જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે તેમને અચાનક હિન્દુત્વ અને મરાઠી માણસ યાદ આવે છે. આ માત્ર પાખંડ છે.

ટોપિક્સ:rahul gandhieknath shindegstv