VIDEO: કર્ણાટક સરકારમાં મોટો રાજકીય ભૂકંપ: નાગેન્દ્ર બાદ વધુ એક દિગ્ગજ મંત્રી પર EDની તવાઈ, ભાજપે માંગી લીધું રાજીનામું!
કર્ણાટકના વરિષ્ઠ કેબિનેટ મંત્રી સતીશ જારકીહોલીના વિવિધ સ્થળો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ કાર્યવાહી બાદ કર્ણાટક ભાજપ પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને મંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગણી ઉઠાવી છે.
બલ્લારી ખાતે પત્રકારો સાથે વાત કરતા બી.વાય. વિજયેન્દ્રએ જણાવ્યું કે, ભાજપની પદયાત્રાના પ્રથમ દિવસથી જ રાજ્ય સરકારને ચેતવણી આપવામાં આવી હતી કે જો ભ્રષ્ટ મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં નહીં આવે તો સરકારે ગંભીર પરિણામો ભોગવવા પડશે.
વિજયેન્દ્રએ કહ્યું, "બલ્લારી પદયાત્રાના દબાણને કારણે ડી.કે. શિવકુમાર અને સરકારે નાગેન્દ્રને કેબિનેટમાંથી હટાવવાની ફરજ પડી હતી. હવે નોકરીની ભરતીઓમાં પણ અન્ય એક મંત્રી સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવી રહ્યા છે. આ દરમિયાન જ ED દ્વારા વરિષ્ઠ કેબિનેટ મંત્રી સતીશ જારકીહોલીના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે."
ભાજપ પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, "ED કોઈ નક્કર કારણ વગર કોઈ વરિષ્ઠ મંત્રીના ઘરે કે સ્થળો પર દરોડા પાડતી નથી. કર્ણાટકના વિવિધ સરકારી વિભાગોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે હવે રાજ્યની જનતા સામે ખુલ્લું પડી રહ્યું છે. આ સંજોગોમાં નૈતિકતાના આધારે આ મંત્રીનું પણ રાજીનામું લેવા માટે સરકાર પર દબાણ લાવવું જરૂરી છે."

