VIDEO : નોઈડામાં ધૂળનુ વાવાઝોડું. જનજીવન પ્રભાવિત
સોર્સ : Gstv
નોઈડા અને દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં આવેલા ભારે ધૂળના વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નોઈડાના સેક્ટર 49 સહિત આસપાસના વિસ્તારોમાં ધૂળનું વાવાઝોડું ત્રાટક્યું છે, જેના કારણે દ્રશ્યતામાં ઘટાડો થયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ટર 49માં ધૂળની ડમરીઓ આકાશને ઘેરી લેતી જોવા મળી હતી. વાહનચાલકોને અત્યંત સાવચેતી રાખવા અને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડાથી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ પ્રદૂષણનું સ્તર વધવાની અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા છે.

