VIDEO: મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાંથી દાનની ચોરી થઈ છે: રાજ ઠાકરેનો દાવો
સોર્સ : gstv
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે 18 કરોડ રૂપિયાનું દાન ચોરવામાં આવે છે. તેમણે અયોધ્યા રામ મંદિરમાંથી 1 હજાર 400 કરોડની ચોરીનો પણ આરોપ લગાવ્યો હતો. મનસેની વિદ્યાર્થી પાંખના કાર્યક્રમમાં બોલતા ઠાકરેએ કહ્યું કે મંદિરો પણ સુરક્ષિત નથી. નિરાશ યુવાનો મંદિરે જાય છે, પરંતુ ત્યાં પણ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ.નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા વંચાયેલા 8 ટ્રસ્ટીઓના પત્ર અનુસાર, કેટલાક કર્મચારીઓ દાનપેટીમાંથી ચોરી કરતા પકડાયા હતા. તે પહેલાં સાપ્તાહિક દાન 50 લાખથી ઓછું હતું, જે પછી દોઢ કરોડ થયું છે

