VIDEO: કાનપુરમાં DMએ તિરંગા યાત્રા ફ્લેગઓફ કરી
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાનપુરના DM જિતેન્દ્ર પ્રતાપ સિંહે તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં તિરંગો લઈને લોકો દેશભક્તિના નારા લગાવતા જોવા મળ્યા હતા. યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો. આ પ્રસંગે DM જિતેન્દ્ર પ્રતાપ સિંહે નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં જોડાવા અને તિરંગા પ્રત્યે સન્માન જાળવવા અપીલ કરી હતી. યાત્રા દરમિયાન સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રાના દૃશ્યો પણ સામે આવ્યા છે.

