Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Divine Shivlinga made from 40 ice slabs during Shaniwar Amasa month

VIDEO: Ayodhya / શનૈશ્વર અમાસે 40 બરફના સ્લેબથી બનાવાયું દિવ્ય શિવલિંગ, 1151 દીવાઓથી થઈ મહાઆરતી

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રામનગરી અયોધ્યા અત્યારે શિવભક્તિના રંગે રંગાઈ છે. અહીંના ઐતિહાસિક ક્ષીરેશ્વર મહાદેવ મંદિરમાં શનૈશ્વર અમાસના પવિત્ર અવસરે ભક્તો માટે એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. મંદિરમાં આશરે 40 જેટલા મોટા બરફના સ્લેબનો ઉપયોગ કરીને પ્રતીકાત્મક જ્યોતિર્લિંગ અને બરફના શિવલિંગનું દિવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ અલૌકિક બરફની સજાવટ વચ્ચે ભગવાન ભોળાનાથની 1151 દીવાઓ પ્રગટાવીને ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. હિમવર્ષા અને હિમાલય જેવો માહોલ સર્જાતા આ અદ્ભુત દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે મેળાવડો ઉમટ્યો હતો. ભક્તોએ જય ભોલેનાથના નારા લગાવી ધન્યતા અનુભવી હતી.

App Store