Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dheerendra Shastri gave an ultimatum to the shopkeepers, said- put up the name plate in 10 days or else…

ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુકાનદારોને આપ્યું અલ્ટીમેટમ, કહ્યું- 10 દિવસમાં નેમ પ્લેટ લગાવો નહીંતર...

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2024
લાઇવ ટીવીGoogle News
ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુકાનદારોને આપ્યું અલ્ટીમેટમ, કહ્યું- 10 દિવસમાં નેમ પ્લેટ લગાવો નહીંતર...

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ બાગેશ્વર ધામમાં લાગેલી દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનું કહ્યું છે. કથાવાચકે કહ્યું કે, ધામની તમામ દુકાનો અને હોટલોની બહાર માલિકનું નામ લગાવવું જરૂરી છે અને આ સારું કામ છે. આપણને આપણાં પિતાનું નામ લખવામાં શું વાંધો છે. આ કાર્યના તો વખાણ થવાં જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા માર્ગ પર ખાણી-પીણીના સામાનનો વ્યવસાય કરનાર હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, રેહડી-ઠેલી વાળાને સાઈનબોર્ડ લગાવીને માલિકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે. આ જ દેખાદેખીમાં હવે મધ્ય પ્રદેશમાં પણ આ હેઠળના નિયમ બનાવવાની માગ કરવામાં આવી રહી છે. જોકે, બાગેશ્વર ધામમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. ધામની સમિતિની બેઠકમાં પીઠાધીશ્વર આ દેશ પર મોહર લગાવશે. 

App Store

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક નિવેદનની વચ્ચે કહ્યું, અમને ન રામથી તકલીફ છે અને ન રહેમાનથી તકલીફ છે. અમને કાલનેમિઓથી તકલીફ છે. તેથી પોતાની દુકાનની બહાર નેમ પ્લેટ લગાવી દો, જેનાથી આવનારા શ્રદ્ધાળુઓનો ધર્મ અને પવિત્રતા ભ્રષ્ટ ન થાય. તેમણે કહ્યું કે આ અમારી આજ્ઞા છે કે, બાગેશ્વર ધામના તમામ દુકાનદાર 10 દિવસની અંદર નેમ પ્લેટ લગાવી દે નહીંતર ધ્યાન સમિતિ તરફથી કાયદાને સાથે લઈને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

યુપીની મુઝફ્ફરનગર પોલીસે કાવડ યાત્રા માર્ગ પર તમામ ખાણી-પીણીની દુકાનો પર માલિકોના નામ લખવાનો આદેશ જારી કર્યો હતો. આ વિવાદાસ્પદ આદેશને થોડા દિવસ બાદ ઉત્તર પ્રદેશ સરકારે સમગ્ર રાજ્યમાં લાગુ કરી દીધો. વિપક્ષના ઘણા નેતાઓએ આ આદેશ પર વાંધો વ્યક્ત કર્યો અને તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યો. કોંગ્રેસે આ આદેશને પક્ષપાત ગણાવ્યો હતો. રાજ્યસભા સભ્ય કપિલ સિબ્બલે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા માર્ગ પર તમામ ખાણી-પીણીની દુકાનો પર માલિકોના નામ લખવાના રાજ્ય સરકારના આદેશને વિભાજનકારી એજન્ડા ગણાવ્યો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મોઈત્રાએ પોતાની અરજીમાં બંને રાજ્ય સરકારો તરફથી જારી આદેશ પર રોક લગાવવાનો આગ્રહ કરતાં કહ્યું કે આવા આદેશ સમુદાયો વચ્ચે વિવાદને વધારી શકે છે.

યોગ ગુરુ રામદેવે કાવડ માર્ગ પર સ્થિત હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાની બહાર માલિકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવા સંબંધી આદેશને રવિવારે યોગ્ય ઠેરવતાં કહ્યું કે, કોઈને પોતાનો પરિચય આપવામાં મુશ્કેલી હોવી જોઈએ નહીં. હરિદ્વારમાં રામદેવે કહ્યું કે પોતાના નામ પર તો તમામને ગર્વ હોય છે અને તેને સંતાડવાની કોઈ જરૂર નથી. તેમણે સવાલ કર્યો, જ્યારે રામદેવને પોતાની ઓળખ બતાવવામાં કોઈ તકલીફ નથી તો રહેમાનને શા માટે તકલીફ હોવી જોઈએ.