VIDEO: 'નિર્ણયો તો બેઠકમાં ગેરહાજર લોકો જ લેશે...' ચોમાસુ સત્ર પહેલા જયરામ રમેશનો પીએમ મોદી અને અમિત શાહ પર મોટો કટાક્ષ!
સોર્સ : gstv
આગામી ચોમાસુ સત્ર અંગે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, "આ સત્રમાં રામ મંદિર અને NEET કૌભાંડ સહિત પરીક્ષા પ્રણાલીને લગતી ગેરરીતિઓ જેવા અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. શિક્ષણ મંત્રી દેશની શિક્ષણ વ્યવસ્થાને સંભાળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે, જેના કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે."
સર્વપક્ષીય બેઠક અંગે કટાક્ષ કરતા રમેશે ઉમેર્યું કે, "દર વખતની જેમ આ બેઠકની અધ્યક્ષતા પણ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. વિવિધ પક્ષોના નેતાઓ પોતપોતાની ચિંતાઓ અને મુદ્દાઓ રજૂ કરશે, જ્યારે મંત્રીઓ તેને શાંતિથી સાંભળીને માત્ર નોંધ લેશે. પરંતુ, અંતિમ નિર્ણયો તો એ જ લોકો લેશે જેઓ આ બેઠકમાં હાજર નથી—એટલે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી."

