VIDEO: કોંગ્રેસ આજે પણ ગાંધી-સરદારના નિર્ણય પર કાયમ: વંદે માતરતને લઈને કે.સી. વેણુગોપાલ
સોર્સ : gstv
વંદે માતરમ્ ને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસે પોતાનું વલણ વધુ એકવાર સ્પષ્ટ કરી દીધું છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પક્ષે 1937માં લીધેલા પોતાના નિર્ણયને દોહરાવતા સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતની માત્ર પહેલી બે કડીઓ જ ગાવામાં આવશે. કે.સી. વેણુગોપાલે કહ્યું કે આ મુદ્દે પક્ષની અંદર કોઈ પ્રકારનો ભ્રમ નથી. તેમણે કહ્યું કે તે સમયે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, રવીન્દ્રનાથ ટાગોર અને સુભાષ ચંદ્ર બોઝ જેવા શીર્ષ નેતાઓએ જે નિર્ણય લીધો હતો, કોંગ્રેસ આજે પણ તેના પર કાયમ છે.

