પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાનને લઈને અસમંજસની સ્થિતિ, પાકિસ્તાની કનેક્શન ભારતને નામંજૂર!

દેશ 26મી જાન્યુઆરીએ યોજાનાર પ્રજાસત્તાક દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે. મહેમાનોની યાદી તૈયાર છે. કેટલાકને આમંત્રણો પણ મોકલવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મુખ્ય મહેમાનનું નામ પણ નક્કી થઈ ગયું છે. આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વિશ્વની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશના વડા પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન બનશે. ભારત સરકારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોને પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. જો કે, હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
આ પણ વાંચોઃ 98થી વધારે નકલી કંપની, 269 બેંક એકાઉન્ટ, આ વ્યક્તિએ કરી નાંખ્યો 10 હજાર કરોડનો ખેલ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આગમનથી શું સમસ્યા છે?
અહેવાલો અનુસાર, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં ભારતને સમસ્યા ઊભી થઈ છે. ભારત સરકાર આ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે. આનો ઉકેલ આવ્યા પછી જ તેમના આગમનની સત્તાવાર જાહેરાત થઈ શકશે.
હવે સવાલ એ છે કે, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોને આમંત્રણ આપવામાં શું સમસ્યા છે? તો આનું કારણ પાકિસ્તાન છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારતથી સીધા પાકિસ્તાન જવા માંગે છે. ભારત સરકાર ભારતની મુલાકાતને પાકિસ્તાનની મુલાકાત સાથે જોડવા માંગતી નથી. એવું માનવામાં આવે છે કે ભારત સરકાર તેમને ભારત મુલાકાત પછી સીધા પાકિસ્તાન ન જવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રબોવો સુબિયાન્ટો 26મી જાન્યુઆરીની પરેડમાં મુખ્ય મહેમાન હશે. પરંતુ આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, આવી જાહેરાતો મહિનાઓ અગાઉથી કરવામાં આવે છે.
જાહેરાતમાં વિલંબ કેમ થયો?
જાહેરાતમાં વિલંબ થવાનું કારણ એ છે કે પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો છે કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ 26મી જાન્યુઆરીએ ત્રણ દિવસની મુલાકાતે ઇસ્લામાબાદ પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે. પાકિસ્તાન સાથેના સંબંધો સંપૂર્ણપણે બગડી ગયા છે, ત્યારથી ભારત તેની સાથે કોઈ સંબંધ ઇચ્છતું નથી. ભારત સરકાર તાજેતરના સમયમાં વિદેશી નેતાઓને ભારતની મુલાકાત લેતી વખતે તેમના પ્રવાસ કાર્યક્રમમાં પાકિસ્તાનનો સમાવેશ ન કરવા અને બંને દેશો સાથેના સંબંધોને અલગ રાખવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

