VIDEO: કોલેજિયમ ન્યાયાધીશની નિમણૂક માટેના આધાર જાહેર કરતી નથી: જસ્ટીસ ભુયાન
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભૂયાનએ જણાવ્યું કે કોલેજિયમ ન્યાયાધીશોની નિમણૂક માટે ભલામણો કરે છે, પરંતુ આ દરખાસ્તો સંબંધિત ન્યાયાધીશની નિમણૂક માટેના આધારને જાહેર કરતી નથી. પારદર્શિતાનો આ અભાવ ન્યાયાધીશો માટે જ નુકસાનકારક સાબિત થાય છે અને જાહેરહિતની વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે કોલેજિયમ દરખાસ્તોમાં સ્પષ્ટતાનો આટલો અભાવ અયોગ્ય વ્યક્તિઓને પણ ન્યાયતંત્રમાં પ્રવેશવાની મંજૂરી આપે છે... ઘણીવાર આવા વ્યક્તિઓ પાછળથી ગેરબંધારણીય ટિપ્પણીઓ કરે છે. આ સંદર્ભમાં ન્યાયાધીશ ભૂયાને અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શેખર યાદવ દ્વારા આપવામાં આવેલા ભાષણનો ઉલ્લેખ કર્યો હતો.

