Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CBI will investigate Twisha Sharma's death, MP government recommends on family's demand

ટ્વિશા શર્મા સુસાઈડ કેસ: MP સરકારની ભલામણ બાદ હવે CBI ઉકેલશે મોતનું રહસ્ય!

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
ટ્વિશા શર્મા સુસાઈડ કેસ: MP સરકારની ભલામણ બાદ હવે CBI ઉકેલશે મોતનું રહસ્ય!
સોર્સ : gstv

ટ્વિશા શર્માના મોત મામલે એક બહુ મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસની ગંભીરતાને જોતાં સરકારે હવે તેની CBI તપાસ કરાવવાની ભલામણ કરી દીધી છે. સરકારના આ નિર્ણય બાદ હવે દેશની સૌથી મોટી તપાસ એજન્સી આ આખી સુસાઈડ મિસ્ટ્રીનો ભેદ ઉકેલશે. આ દરમિયાન ટ્વિશા શર્માનો પરિવાર અને તેમના વકીલ હવે આરોપીઓ સામે કાયદાકીય સિકંજો સંપૂર્ણપણે કસવાની તૈયારીમાં લાગી ગયા છે. ટ્વિશા શર્માના પરિવારના વકીલ આયુષ તિવારીએ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે. વકીલે ટ્વિશા શર્મા અને તેની સાસુ ગિરિબાલા સિંહ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટનો હવાલો આપ્યો છે.

App Store

ટ્વિશાની સાસુ અને રિટાયર્ડ જજ ગિરિબાલા સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગિરિબાલા સિંહ સામે પણ વિભાગીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્વિશાના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રી માનસિક ત્રાસ અને દબાણમાં હતી. પરિવાર પહેલાથી જ આ મામલે નિષ્પક્ષ તપાસ અને ઈલેક્ટ્રોનિક પુરાવાઓને સુરક્ષિત રાખવાની માંગ ઉઠાવી ચૂક્યો છે. વકીલે જણાવ્યું કે, 'આ બંને વચ્ચેની વોટ્સએપ ચેટ પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ટ્વિશાને સાસરીમાં સતત માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવી રહી હતી. તેને ખૂબ જ પ્રતાડિત કરવામાં આવી રહી હતી.'

ટ્વિશાના પતિની જામીન અરજી પર પણ આજે થશે સુનાવણી

જણાવી દઈએ કે ટ્વિશાના પરિવારના આરોપ બાદ ગિરિબાલા સિંહને જિલ્લા ગ્રાહક આયોગના અધ્યક્ષ પદેથી હટાવવાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ આ કેસમાં છેલ્લા 10 દિવસથી ફરાર ટ્વિશાના પતિ અને 30 હજાર રૂપિયાના ઈનામી સમર્થે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. સમર્થના જામીન પર આજે (શુક્રવારે) હાઈકોર્ટમાં સુનાવણી થશે, તો બીજી તરફ ટ્વિશાનો પરિવાર પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. પરિવાર તરફથી આરોપી પક્ષ સાથે જોડાયેલી ઘણી માંગણીઓ અંગે અરજી દાખલ કરવામાં આવશે.

ગિરિબાલા સિંહને મળેલા જામીન રદ કરવાની માંગ કરાશે

ટ્વિશા શર્માનો પરિવાર હાઈકોર્ટમાં અરજી કરીને ગિરિબાલા સિંહને મળેલા આગોતરા જામીન રદ કરવાની માંગ કરશે. તેમનું કહેવું છે કે આ મામલામાં એવા ઘણા પાસાઓ છે જેની યોગ્ય તપાસ થઈ નથી. પરિવારનો આરોપ છે કે તપાસમાં કેટલાક મહત્વના તથ્યોની અવગણના કરવામાં આવી છે. ટ્વિશાના પિતાએ જણાવ્યું કે તેઓ ગિરિબાલા સિંહના આગોતરા જામીન રદ કરાવવા માટે હાઈકોર્ટ જઈ રહ્યા છે.

ટ્વિશાના મોત મામલે ક્યારે શું થયું?

12 મે 2026: ટ્વિશા શર્માનું મોત થયું.
13 મે 2026: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીના કારણે મોત થયાની પુષ્ટિ થઈ.
15 મે 2026: ટ્વિશાના પતિ અને સાસુ સામે FIR નોંધાઈ.
18 મે 2026: ટ્વિશાના CCTV ફૂટેજ સામે આવ્યા, જેમાં તે અગાશી પર જતી દેખાઈ.
19 મે 2026: ટ્વિશાના પતિ પર પોલીસે ઈનામ જાહેર કર્યું.
22 મે 2026: ટ્વિશાની સાસુ સામે તપાસ શરૂ થઈ.