Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP's saffron in Abhishek Banerjee's stronghold: 'Pushpa' of Faltana Jahangir Khan defeat

અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપનો ભગવો: ફલતાના 'પુષ્પા' જહાંગીર ખાનનો કારમો પરાજય

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપનો ભગવો: ફલતાના 'પુષ્પા' જહાંગીર ખાનનો કારમો પરાજય
સોર્સ : gstv

ફલતા વિધાનસભાના 'પુષ્પા' જહાંગીર ખાનનો 'THE END' : અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપની જીત 1 - image
West Bengal Assembly Election : પશ્ચિમ બંગાળ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર દેબાંગ્શુ પાંડાને સૌથી મોટી જીત મળી છે. અહીં પુષ્પા તરીકે પ્રચલિત જહાંગીર ખાનના રાજનો THE END થઈ ચુક્યો છે. જહાંગીર ખાને આ ચૂંટણીમાંથી નામ પરત ખેંચી લીધુ હતું, પરંતુ સમય પસાર થઈ જતા EVM પર તેમનું નામ રાખવામાં આવ્યુ અને તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા સીટ માટે રવિવાર સવારથી ચાલી રહેલી મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. જેમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના નજીકના માનવામાં આવતા જહાંગીર ખાનનો કારમો પરાજય થયો છે. જહાંગીરખાને 21 મેના રોજ ફેરમતદાન પ્રક્રિયાના થોડા સમય પહેલાજ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જોકે ઉમેદવારી પરત ખેંચવાનો સમય પસાર થઈ જતા EVMમાં તેમનું નામ રહ્યુ હતું જેમાં તેમને 7 હજારથી વધુ વોટ મળ્યા હતા. જહાંગીરખાનને ફલતા વિધાનસભા મતવિસ્તારના પુષ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફલતા વિધાનસભા ડાયમંડ હાર્બર લોકસભા સીટ અંતર્ગત આવે છે, અને ડાયમંડ હાર્બર વિસ્તાર TMCના નેતા અભિષેક બેનર્જીનો ગઢ માનવામાં આવે છે.

App Store

ભાજપ ઉમેદવાર દેબાંગ્શું પાંડાનો ભવ્ય વિજય

કાઉન્ટિંગની શરૂઆતથી જ ભાજપના ઉમેદવારને જંગી મતો મળ્યા હતા. જહાંગીરની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ CPI(M) તેમજ કોંગ્રેસ ઉમેદવારથી પણ પાછળ રહ્યા અને ચોથા નંબર પર પટકાયા. દેબાંગ્શુ પાંડાને એક લાખ 9 હજારથી વધુ વોટ સાથે અહીં જીત મળી હતી. બંગાળ ચૂંટણી દરમિયાન ફલતાના કેટલાય બૂથ પર ગરબડીનો પણ આરોપ લાગ્યો હતો. કેટલાય EVM પર ભાજપના ચિન્હ પર ટેપપટ્ટી લગાવીને તેના ચિન્હને પણ છુપાવી દેવાયું હતું. ભાજપની ફરિયાદ બાદ ફલતામાં ચૂંટણી પંચે ફરી વોટિંગ કરવાનો આદેશ કર્યો અને 21 તારીખે ફરીથી ત્યાં ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જહાંગીર ખાને બંગાળની ચૂંટણી દરમિયાન પોતાની છબી પુષ્પા તરીકે ઉભી કરી હતી. અને હંમેશા 'ઝૂકેગા નહીં સાલા' વાળા અંદાજમાં પોતાના નિવેદનો આપતા હતા. UPના IPS અધિકારી અજયપાલ શર્માને એક વિવાદ દરમિયાન જવાબ આપતા કહ્યુ જહાંગીરે કહ્યુ હતુ કે જો તેઓ સિંઘમ છે, તો હું પુષ્પા છું. આ નિવેદન બાદ જહાંગીર ખાનને ફલતાના 'પુષ્પા' તરીકે પણ ઓળખ મળી અને મીડિયામાં પણ આ નામથી સંબોધન થવા લાગ્યુ હતું.

ફલતા મતદારોનો આભારીઃ શુભેન્દુ અધિકારી

દેબાંગ્શુની જીત પર બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ TMC પર પ્રહાર કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યુ કે, 'બદનામ ડાયમંડ હાર્બર મોડલ હવે તૃણમૂલના નુકસાનનું મોડલ' બની ગયું છે. સૌથી પહેલા અને સૌથી જરૂરી એવા ફલતાના લોકો અને ગૌ દિવ્ય જનતા સામે હું નતમસ્તક થઈને પ્રણામ કરુ છું. જેમણે ફલતા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેબાંગ્શુને વિધાનસભામાં પહોંચાડવા માટે જોરદાર જનાદેશ આપ્યો છે. હું ફલતાના મતદાતાઓનો વિશેષરૂપથી આભારી પણ છું. કારણ કે મેં તેમને અપીલ કરી હતી કે, તેઓ ભાજપના ઉમેદવારને 1 લાખથી વધુ વોટથી જીત સુનિશ્ચિત કરે અને જીતનું અંતર 1 લાખ 9 હજારથી વધુ વોટનું થયું છે. અમે વિકાસ થકી આ ઋણને ચુકવીશું અને અમે એક સ્વર્ણિમ ફલતા બનાવવા માટે પ્રતિબદ્ધ બનીશું.

અભિષેક બેનર્જીના EC પર પ્રહાર

ફલતા વિધાનસભા બેઠકના પરિણામો બાદ અભિષેક બેનર્જીએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે બીજીવાર યોજાયેલી મતદાન પ્રક્રિયામાં ઘણી વિસંગતતાઓ સામે આવી છે. રવિવારે બપોરે 3.30 સુધી તમામ 21 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ ચુકી હતી, જ્યારે 4 મે ના રોજ આ સમયે માત્ર 2-4 રાઉન્ડ જ પૂર્ણ કરાયા હતા. દેશનું ચૂંટણી પંચ આ મામલે સ્પષ્ટીકરણ માટે જવાબદાર છે. મહત્વનું છે કે, ફાલતામાં બંગાળ ચૂંટણીમાં ભાજપની જીત બાદ TMCના 1000થી વધુ કાર્યકર્તાઓ પોતાનું ઘર છોડીને ભાગવા પર મજબૂર બન્યા હતા, ક્યાંક TMCના પાર્ટી કાર્યાલયો પર પણ તોડફોડ કરાઈ હતી,  પરંતુ ચૂંટણી પંચે આ બધુ ધ્યાને ના લઈને માત્ર તમાશો જોયો હોવાના આરોપ લાગ્યા છે.