Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP's offer and Shinde's reaction: NDA math go wrong in Maharashtra?

ભાજપની ઓફર અને શિંદેના તેવર: શું Maharashtraમાં NDA ગઠબંધનનું ગણિત બગાડશે?

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ભાજપની ઓફર અને શિંદેના તેવર: શું Maharashtraમાં  NDA ગઠબંધનનું ગણિત બગાડશે?
સોર્સ : gstv

Maharastra BMC Election : મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની આગામી ચૂંટણીને લઈને મહારાષ્ટ્રના શાસક ગઠબંધન 'મહાયુતિ'માં બેઠક વહેંચણીને લઈને મોટો ગજગ્રાહ શરૂ થયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકોની સંખ્યાને લઈને મડાગાંઠ સર્જાઈ છે, જેના કારણે ગઠબંધનના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે.

App Store

શિંદે સેનાની હવે 112 બેઠકોની માંગ અને ભાજપનો પ્રસ્તાવ

BMCની કુલ 227 બેઠકો માટે ભાજપે એક ફોર્મ્યુલા રજૂ કરી છે, જે મુજબ ભાજપ પોતે 150 બેઠકો પર લડવા માંગે છે, જ્યારે શિંદે જૂથની શિવસેનાને 50 અને અજિત પવારની NCPને 27 બેઠકો આપવાનો પ્રસ્તાવ હતો. જોકે, એકનાથ શિંદેએ ભાજપના આ 50 બેઠકોના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી દીધો હતો. શિંદે જૂથનું કહેવું છે કે મુંબઈમાં શિવસેના મુખ્ય પક્ષ હોવાથી તેમને ઓછામાં ઓછી 80થી 90 બેઠકો મળવી જોઈએ. જોકે ભાજપ જ્યારે 90 બેઠક આપવા તૈયાર થયો તો હવે એકનાથ શિંદેની પાર્ટી તરફથી 112 બેઠકોની માગણી કરાઈ રહી હોવાની ચર્ચા છે. જેના લીધે એનડીએના બંને સાથી પક્ષો વચ્ચે મડાગાંઠની સ્થિતિ સર્જાઇ છે.  

શિંદેના મજબૂત તર્ક અને ભાજપને ચેતવણી

એકનાથ શિંદેએ ભાજપના નેતૃત્વ સમક્ષ દલીલ કરી છે કે તેમની પાસે લગભગ 100થી વધુ  મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારો છે, જેમાં ઘણા પૂર્વ કોર્પોરેટરોનો પણ સમાવેશ થાય છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમને ઓછી બેઠકો ફાળવવામાં આવશે તો BMC ચૂંટણી લડવાની આશાએ શિવસેનામાં જોડાયેલા નેતાઓને સમાવવા મુશ્કેલ બનશે. આનાથી પાર્ટીમાં અસંતોષ ફેલાઈ શકે છે અને નારાજ ઉમેદવારો ઉદ્ધવ ઠાકરે જૂથમાં પાછા જઈ શકે છે, જે મહાયુતિ માટે નુકસાનકારક સાબિત થશે. સાથે જ, આનાથી મરાઠી મતદારોમાં પણ ખોટો સંદેશ જશે, જે BMC ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

ભાજપનું કડક વલણ અને 'પ્લાન B'

બીજી તરફ, ભાજપ પણ પોતાની વાત પર અડગ છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે શિવસેનાને 80 બેઠકો આપવી શક્ય નથી, પરંતુ વધુમાં વધુ 60 બેઠકોનો પ્રસ્તાવ મૂકી શકાય છે. જો શિંદે જૂથ પોતાની માંગ પર અડગ રહેશે, તો ભાજપ તેમને એકલા ચૂંટણી લડવા માટે પણ કહી શકે છે. આવી સ્થિતિમાં, ભાજપ લગભગ 200 બેઠકો પર ચૂંટણી લડશે અને બાકીની બેઠકો અજિત પવારની NCPને ફાળવવામાં આવશે. ભાજપનું ગણિત છે કે જો તેઓ 50% બેઠકો પણ જીતે તો સત્તામાં આવી શકે છે, જ્યારે ઓછી બેઠકો પર લડવાથી તેમને કોઈ ફાયદો થશે નહીં.

અજિત પવારની ભૂમિકા અને ભાજપની નવી રણનીતિ

શિંદે જૂથના કડક વલણને જોતાં, ભાજપના ટોચના નેતૃત્વએ હવે BMC ચૂંટણી માટે અજિત પવારની NCPને ગઠબંધનમાં વધુ મજબૂતીથી સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ રાજકીય ઘમાસાણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે BMC ચૂંટણીની તારીખો નજીક છે. 15 જાન્યુઆરી, 2026ના રોજ મતદાન થવાનું છે અને ઉમેદવારી પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. હાલમાં, આ બેઠક વહેંચણીનો વિવાદ મહાયુતિની એકતા માટે એક મોટી પરીક્ષા સાબિત થઈ રહ્યો છે.