Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP MP Nishikant Dubey gets caught in controversy for making controversial statement about CJI

CJI વિશે વિવાદિત નિવેદન આપીને ફસાયા ભાજપના સાંસદ, નિશિકાંત દુબે વિરુદ્ધ સુપ્રીમમાં થશે સુનાવણી

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2025
લાઇવ ટીવીGoogle News
CJI વિશે વિવાદિત નિવેદન આપીને ફસાયા ભાજપના સાંસદ, નિશિકાંત દુબે વિરુદ્ધ સુપ્રીમમાં થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ સંજીવ ખન્ના પર વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં આવેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને તેને આગામી અઠવાડિયા માટે સૂચિબદ્ધ કરી છે. વકીલોએ નિશિકાંત દુબે સામે અવમાનનાનો કેસ દાખલ કરવા માટે એટર્ની જનરલ પાસેથી સંમતિ માંગી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં નિશિકાંત દુબેના નિવેદનોને વખોડતા વકીલે કહ્યું કે, સરકાર આ મામલે કંઈ કરી રહી નથી, જ્યારે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને પણ પત્રો લખવામાં આવ્યા છે. આ મુદ્દે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે કેસને આગામી અઠવાડિયા માટે લિસ્ટેડ કરી દીધો છે.

App Store

તમારે જે ફાઇલ કરવી હોય તે ફાઇલ કરો

વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આવું ક્યારેય બન્યું નથી. સાંસદે સોશિયલ મીડિયામાં કહ્યું છે કે ભારતમાં ગૃહયુદ્ધ માટે સીજેઆઈ ખન્ના જવાબદાર છે. આ મુદ્દે જસ્ટિસ ગવઈએ કહ્યું, તમારે જે ફાઇલ કરવી હોય તે ફાઇલ કરો. વકીલે જણાવ્યું કે, મેં ફાઇલ કરી દીધી છે, હું ડાયરી નંબર આપી શકું છું. ભાષણ વાયરલ થયા પછી, સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઘણા વિવાદાસ્પદ નિવેદનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આવા વિડિયો કોર્ટને નુકસાન પહોંચાડી રહ્યા છે

વકીલે સુપ્રીમ કોર્ટને વધુમાં કહ્યું, એજી અને એસજીને પત્રો આપવામાં આવ્યા હતા, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી કરી રહી નથી. સોશિયલ મીડિયાને વિડિયો દૂર કરવાનો નિર્દેશ આપો. આવા વિડિયો કોર્ટને નુકસાન પહોંચાડી રહ્યા છે. સરકાર કાર્યવાહી કરી રહી નથી. આ જૂના સમયના કેસોથી અલગ છે. આ વિડિઓ દેશભરમાં વાયરલ છે. જજે આ મુદ્દે આવતા અઠવાડિયે સુનાવણી કરવા તૈયારી દર્શાવી છે.

 સુપ્રીમ કોર્ટની ગરિમા અને પ્રતિષ્ઠા જાળવવાની અપીલ કરી

સોમવારે પણ સુપ્રીમ કોર્ટે નિશિકાંત દુબેના CJI વિરુદ્ધના નિવેદન અંગે જાણ કરાયા બાદ સુપ્રીમ કોર્ટની ગરિમા અને પ્રતિષ્ઠા જાળવવાની અપીલ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આ ટિપ્પણી એવા સમયે કરી જ્યારે અરજદાર અને એડવોકેટ વિશાલ તિવારીએ વક્ફ કાયદામાં સુધારા પછી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિંસા દરમિયાન નફરતભર્યા ભાષણો અંગે દાખલ કરેલી પીઆઈએલ પાછી ખેંચવાની પરવાનગી માંગી. તિવારી ભાજપના સાંસદ નિશિકાંત દુબેના નિવેદનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમણે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટે કાયદા બનાવવા હોય તો સંસદ અને વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ. બેન્ચે તિવારીને કહ્યું, "આપણે આરોપોમાં પણ સંસ્થાની ગરિમા અને પ્રતિષ્ઠા જાળવી રાખવી પડ. કલમ 32 (રિટ હેઠળ) અરજીમાં આપેલા નિવેદનો પણ આદરપૂર્ણ હોવા જોઈએ."