VIDEO: પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહને મળ્યા બિહારના CM Samrat Chaudhary
સોર્સ : GSTV
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ દિલ્હી મુલાકાત હતી.
આ બેઠક દરમિયાન તેમણે સંરક્ષણ મંત્રીના બહોળા અનુભવ અને માર્ગદર્શન હેઠળ 'વિકસિત બિહાર'ના વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને સુરક્ષાને લગતા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. સમ્રાટ ચૌધરીએ આ મુલાકાતને ખૂબ જ સકારાત્મક ગણાવી હતી.

