Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big change in Karnataka politics, Siddaramaiah to resign from the post of Chief Minister tomorrow

કર્ણાટકના રાજકારણમાં મોટો બદલાવ, આવતીકાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે સિદ્ધારમૈયા

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
કર્ણાટકના રાજકારણમાં મોટો બદલાવ, આવતીકાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે સિદ્ધારમૈયા
સોર્સ : gstv

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવા જઈ રહ્યા છે. સિદ્ધારમૈયા કાલે સવારે 10.30 વાગ્યે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. સિદ્ધારમૈયાએ કાલે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો છે. હવે ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે. ડીકે શિવકુમાર 30 મેના રોજ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

App Store

આ પહેલા મંગળવારે દિવસભર કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે કર્ણાટકના નેતાઓની બેઠક થઈ હતી. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, બેઠકમાં સિદ્ધારમૈયાને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. એ પણ સામે આવ્યું છે કે રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન સિદ્ધારમૈયાનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ન હતો.

નાયબ મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ નામો

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી ત્રણ નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણ નાયબ મુખ્યમંત્રીઓ અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગ અને મહિલા વર્ગમાંથી હોઈ શકે છે. આમાં દલિત ક્વોટામાંથી પરમેશ્વર/પ્રિયંક ખડગે, અન્ય પછાત વર્ગમાંથી યતીન્દ્ર અને લિંગાયત શ્રેણીમાંથી એમબી પાટિલ/ઈશ્વર ખંડ્રે અને લઘુમતી શ્રેણીમાંથી કેજે જ્યોર્જ/યુટી ખાદર/ઝમીરના નામોનો સમાવેશ થાય છે.

સિદ્ધારમૈયાને રાજ્યસભામાં જોડાવામાં રસ નથી

સૂત્રો અનુસાર, કોંગ્રેસ પાર્ટી દ્વારા સિદ્ધારમૈયાને પદ છોડવાનું કહેવામાં આવ્યું હતું. તેમને તેમના નિર્ણય પર વિચાર કરવા અને કેસી વેણુગોપાલને જાણ કરવા કહેવામાં આવ્યું હતું. પરિણામે, સિદ્ધારમૈયા આવતીકાલે રાજીનામું આપશે. અહેવાલો અનુસાર સિદ્ધારમૈયાને રાજ્યસભામાં જોડાવામાં રસ નથી.