બાંગ્લાદેશ: શેખ હસીના સામે માનવતા વિરુદ્ધના ગુનાના આરોપ
સોર્સ : gstv
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલએ ૨૦૧૩માં ઢાકાની રેલી પર પોલીસ કાર્યવાહીમાં માનવતા વિરુદ્ધના ગુના માટે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના અને ૪૦ અન્ય વ્યક્તિઓ સામે ઔપચારિક આરોપો નોંધ્યા છે….મે ૨૦૧૩માં હસીનાની અવામી લીગ સરકાર દરમિયાન હેફાઝત-એ-ઇસ્લામની વિરોધ રેલી દરમિયાન શાપલા ચત્તર પર પોલીસ કાર્યવાહીમાં અનેક લોકો માર્યા ગયા હતા. ટ્રિબ્યુનલે તત્કાલીન સેના વડા સહિત અન્ય રાજકારણીઓ અને સુરક્ષા અધિકારીઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યા છે.નવ આરોપીઓ હાલ જેલમાં છે. ગયા નવેમ્બરમાં હસીનાને અન્ય કેસમાં ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

