મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ વખતે અજિત પવારનું પ્લેન ક્રેશ થયું

સોર્સ : GSTV
મહારાષ્ટ્રના બારામતીમાં NCP નેતા અજિત પવારનું વિમાન લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. તેઓ એક કાર્યક્રમ માટે ત્યાં પહોંચી રહ્યા હતા. આ અકસ્માતમાં અજિત પવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. વિમાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું. પ્લેનમાં 6 લોકો સવાર હતા.
વિમાન ક્રેશ થવાનું કારણ શું?
બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.

