VIDEO: AIADMK દ્વારા વિરોધ પ્રદર્શનની તૈયારીઓ શરૂ
સોર્સ : gstv
તમિલનાડુના થંજાવુરમાં ખેડૂતોના પાક લોન માફી અને કાવેરી જળ મુદ્દે AIADMK દ્વારા વિરોધ પ્રદર્શનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. AIADMKના નેતા એડપ્પાડી કે. પલાનીસ્વામીના નેતૃત્વમાં આ વિરોધ યોજાવાનો છે. ખેડૂતોના પાક લોન માફી, કાવેરી નદીના પાણીના મુદ્દા સહિતની માગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવશે. વિરોધને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કાર્યક્રમના સ્થળે બેરિકેડિંગ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. AIADMK કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થવાની શક્યતા છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આ વિરોધ પર સૌની નજર રહેશે.

