VIDEO: હલ્દવાનીમાં મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચના શુદ્ધિકરણ પર પ્રિયંકા ગાંધી ભડક્યા, વીસ દિવસ વીત્યા છતાં કાર્યવાહી નહિ!
સોર્સ : gstv
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચને શુદ્ધ કરવાના વિવાદ પર ભાજપ અને આરએસએસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. આ ઘટનાને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપતું અને બંધારણનું ગંભીર ઉલ્લંઘન ગણાવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આકરા પ્રશ્નો ઉઠાવ્યા છે. વીસ દિવસ વીતી જવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા તેમણે દોષિતો સામે એફઆઈઆર નોંધીને એસસી-એસટી એક્ટ હેઠળ કડક પગલાં લેવાની માંગ કરી છે. અગાઉ રાહુલ ગાંધીએ પણ આ કૃત્યને ફોજદારી ગુનો ગણાવ્યો હતો, જ્યારે ભાજપ શાસિત સરકારની મૌન નીતિ સામે વિપક્ષી નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

