Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : After taking oath, Samrat Chaudhary became the 24th Chief Minister of the state of Bihar

VIDEO: ભાજપના સમ્રાટ ચૌધરી બન્યા BIHARના 24મા મુખ્યમંત્રી, JDUના 2 DY CM, નીતિશ યુગનો અંત!

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરી શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે લોકભવનના જર્મન હેંગરમાં યોજાયો હતો. સમ્રાટની સાથે JDUના ધારાસભ્ય વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. સમ્રાટ ચૌધરી માટે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. શપથ ગ્રહણ કરતા પહેલા સમ્રાટ ચૌધરી પંચમુખી હનુમાન મંદિરમાં પૂજા કરવા ગયા હતા. ત્યાંથી  તેઓ સીધા રાજભવન પહોંચ્યા હતા.

App Store

શપથ ગ્રહણ કર્યા પછી સમ્રાટ ચૌધરી રાજ્યના 24મા મુખ્યમંત્રી બન્યા

શપથ ગ્રહણ કર્યા પછી સમ્રાટ ચૌધરી રાજ્યના 24મા મુખ્યમંત્રી બન્યા હતા. સમ્રાટના શપથ ગ્રહણ સાથે બિહારમાં આ પહેલી ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર હશે. નીતિશ કુમારે સોમવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. તેઓ રાજ્યસભામાં જઈ રહ્યા છે. તેમણે 20 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી પદ સંભાળ્યું.

 સમ્રાટ ચૌધરીના ખભા પર એક નવી જવાબદારી

સમ્રાટ ચૌધરી સાથેની મુલાકાત બાદ ચિરાગ પાસવાને કહ્યું, બે દાયકાથી વધુ સમયથી, આપણે બિહારમાં નીતિશ કુમારને સુકાન સંભાળતા જોયા છે; જોકે, હવે સમ્રાટ ચૌધરીના ખભા પર એક નવી જવાબદારી આવી છે. આપણા બધામાં એક સર્વસંમતિ બની હતી કે આ જવાબદારી સમ્રાટ ચૌધરીને સોંપવી જોઈએ. હવે, આપણે બિહારને વિકાસના માર્ગ પર વધુ આગળ લઈ જવું જોઈએ - નીતિશજીએ રાજ્ય માટે જે માર્ગ નક્કી કર્યો છે. ભૂતકાળમાં નીતિશજી અને મારા વચ્ચે ચોક્કસપણે મતભેદો હતા, તે ફક્ત રાજકીય મતભેદો હતા; નીતિશજી અને મારા પિતા ઘણા વર્ષોથી સાથી હતા. તે આપણા બધા માટે ભાવનાત્મક ક્ષણ રહી છે.

સમ્રાટ ચૌધરી RJD અને JDUમાં થઈ ભાજપમાં ભળ્યા, જુઓ રાજકીય સફર

સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળી. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ RJDમાં જોડાયા. RJDમાં તેઓ મંત્રી બન્યા, RJDમાં રહ્યા બાદ, તેઓ 2014માં JDUમાં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી (શહેરી વિકાસ અને આવાસ વિભાગ) બન્યા.

વર્ષ 2018માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને આજે પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પર બિરાજમાન છે. 2019માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2020માં તેઓ ભાજપ તરફથી વિધાન પરિષદમાં પહોંચ્યા. ઑગસ્ટ 2022માં જ્યારે નીતિશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડીને RJD સાથે મહાગઠબંધન સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને ખરી રાજકીય ઓળખ મળી. તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા. વર્ષ 2023માં સમ્રાટ ચૌધરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જ્યારે નીતિશ કુમારે ફરીથી NDAમાં વાપસી કરી, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી. એટલું જ નહીં, 2025ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નિશાના પર સૌથી વધુ સમ્રાટ ચૌધરી રહ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે NDAની વાપસી થતાં તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.