VIDEO: નાશિક કુંભમેળાના વિકાસ કામો અંગે આદિત્ય ઠાકરેના ભાજપ પર આકરા પ્રહારો
સોર્સ : gstv
મહારાષ્ટ્રના નાશિકમાં યોજાનારા કુંભમેળાના વિકાસ કાર્યો અને તેના આયોજન મુદ્દે શિવ સેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા આકરા પ્રહારો કર્યા છે.
આદિત્ય ઠાકરેએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "અયોધ્યા દાન વિવાદ બાદ, હવે ભાજપના શાસન હેઠળ અહીં કુંભમેળાના વિકાસ કામોમાં પણ એવું જ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા મોટાભાગના કોન્ટ્રાક્ટરો બહારના છે. આ કોન્ટ્રાક્ટરોને જે પ્રમાણમાં રકમ અને ભંડોળ ચૂકવવામાં આવી રહ્યું છે, તેની સરખામણીમાં પ્રત્યક્ષ કામની ગુણવત્તા બિલકુલ જોવા મળતી નથી."
તેમણે વધુમાં કુંભમેળાના કામોમાં પારદર્શકતા જાળવવા અને નાણાકીય અનિયમિતતાઓ સામે વિરોધ નોંધાવતાં આ સમગ્ર બાબતને ગંભીરતાથી લેવાની માંગ કરી છે.

