VIDEO: આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં કુલ 98ના મોત, જાણો કેમ દર વર્ષે પ્રદેશમાં પડે છે આટલો વરસાદ !
સોર્સ : gstv
આસામમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાના કારણે અત્યાર સુધીમાં 98 લોકોનાં મોત થયા છે અને દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, તો ક્યાંક લોકો છત પર આશરો લઈ રહ્યા છે…ભૌગોલિક સ્થિતિ અને ભારે વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓનું જળસ્તર ઝડપથી વધવાથી દર વર્ષે ચોમાસામાં પૂરનું સંકટ સર્જાય છે, જે આ વર્ષે વધુ ભીષણરૂપ ધારણ કરી ચૂક્યું છે.

