VIDEO: કેરળમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે કુલ 8 લોકોના મોત
સોર્સ : gstv
કેરળમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે, આઠ વ્યક્તિઓ ગુમ છે અને ૧૩ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી વી.ડી. સતીસને આ માહિતી આપી હતી.મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર, ૨૭ ઘરો સંપૂર્ણપણે ધ્વસ્ત થયા છે અને ૧૯૬ ઘરોને આંશિક નુકસાન થયું છે. રાજ્યભરમાં ૫ હજાર ૭૯૨ લોકોને ૨૦૯ રાહત શિબિરોમાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.સતીસને જણાવ્યું કે સરકાર મૃત્યુ પામેલા પરિવારો તેમજ નુકસાન ભોગવનારાઓને સહાય આપશે. વરસાદ ઘટ્યો હોવા છતાં પહાડી વિસ્તારોમાં રહેવાવાળાઓને સતર્ક રહેવા અપીલ કરી છે. બચાવ અને રાહત કાર્યો ચાલુ છે

