VIDEO: દિલ્હી જંતર મંતર વિરોધ પ્રદર્શન મુદ્દે અત્યાર સુધીમાં કુલ 20 એફઆઈઆર દાખલ થઈ, જાણો સમગ્ર મામલો
સોર્સ : gstv
દિલ્હીના જંતર-મંતર વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ થયેલી હિંસા સંબંધિત કેસો પાછા ખેંચવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, દિલ્હી પોલીસને હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર લેખિત આદેશ મળ્યો નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની લીલી ઝંડી મળ્યા બાદ જ પોલીસ કાનૂની પ્રક્રિયા શરૂ કરશે.દિલ્હી પોલીસના આંકડા મુજબ, આ ઘટનાઓમાં કુલ 20 કેસ નોંધાયા છે. તેમાંથી 14 કેસ ગેરકાયદેસર વિરોધ, ખલેલ અને હિંસા સાથે જોડાયેલા છે. એક કેસ પરવાનગી વિનાના ડ્રોન ઉડાવવાનો છે, જ્યારે અન્ય કેસોમાં પત્રકારો પર હુમલા અને અપમાનનો સમાવેશ થાય છે.કાનૂની નિષ્ણાતો અનુસાર, સરકારના આદેશ બાદ પોલીસ ઉપરાજ્યપાલને પત્ર લખશે અને અદાલતમાં અરજી કરીને કેસ બંધ કરાવવાની પ્રક્રિયા આગળ વધારશે. અંતિમ નિર્ણય કોર્ટના વિવેકાધીન રહેશે.

